ભર શિયાળે! અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, આ જિલ્લામાં વરસાદ પડશે, જાણો

Ambalal Patel Letest Agahi: અંબાલાલ પટેલ એ ગુજરાતના લોકલાડીતા અને જાણીતા હવામાન નિષ્ણાત છે, તેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. તેમની આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય છે અહીં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓ અને તેમના વિશેની મુખ્ય વિગતો ગુજરાતીમાં આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન હવામાનમાં મોટો પલટો જોવા મળશે, જેના પરિણામે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છાંટા પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં ફેરફારના જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની સાથે ક્યાંક હળવા વરસાદની તો ક્યાંક ગાઢ ધુમ્મસ રહી શકે છે. આ સાથે જ તેમણે જાન્યુઆરી મહિનામાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

ગુજરાત રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ભાગમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી અસર કચ્છ અને સૌરાષ્ટ્રના હવામાન પર જોવા મળશે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે કેટલાક ભાગોમાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેલી છે. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં વાતાવરણ બદલાશે, જ્યારે ગિરનાર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ બદલાશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આ સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં વર્તાશે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, સુઈગામ, રાધનપુર, થરાદ, વાવ અને ગેસા સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. આ ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને સાણંદ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની વકી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને મહીસાગરના કેટલાક ભાગોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં પણ હવામાન બદલાયેલું રહેશે.

About Admin

Leave a Comment