Sauchalay Yojana: ફ્રી શૌચાલય યોજના, જે સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ફ્રી શૌચાલય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયાને રોકવું, સ્વચ્છતા અને આરોગ્યને પ્રોત્સાહન આપવું તેમજ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવી છે. ફ્રી શૌચાલય યોજના હેઠળ, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને શૌચાલય બનાવવા માટે રૂપિયા 12,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
ફ્રી શૌચાલય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
ફ્રી શૌચાલય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખુલ્લામાં શૌચક્રિયાને રોકવી. આરોગ્ય અને સ્વચ્છતામાં સુધારો. મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને આત્મસન્માનની રક્ષા.
ફ્રી શૌચાલય યોજના માટે પાત્રતા માપદંડ
- અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- પરિવારની માસિક આવક ₹10,000થી ઓછી અથવા વાર્ષિક આવક ₹1,20,000થી ઓછી હોવી જોઈએ.
- પરિવારના કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવા જોઈએ.
- ઘરમાં પહેલાથી શૌચાલય ન હોવું જોઈએ.
ફ્રી શૌચાલય યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ (જો ઉપલબ્ધ હોય)
- આવકનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુક
- રહેઠાણનો પુરાવો (જેમ કે રેશન કાર્ડ)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- મોબાઈલ નંબર
- શૌચાલય સાથેનો ફોટો (જો શૌચાલય બાંધકામ પછી અરજી કરવામાં આવે તો)
ફ્રી શૌચાલય યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા
- સ્વચ્છ ભારત મિશનની સત્તાવાર વેબસાઈટ swachhbharatmission.gov.in પર જાઓ.
- “નવું નોંધણી” વિકલ્પ પસંદ કરો અને ફોર્મ ભરો.
- મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મળેલ OTP દાખલ કરો.
- લોગિન કરીને “અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી સબમિટ કરો અને અરજી નંબર સાચવો.
ફ્રી શૌચાલય યોજના અંતર્ગત ખુલ્લામાં શૌચક્રિયાને કારણે થતી બીમારીઓ ઘટે છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને આત્મસન્માનની રક્ષા થાય છે. ગામડાઓ અને શહેરોમાં સ્વચ્છતા વધે છે. પર્યાવરણની સુરક્ષામાં યોગદાન થાય છે.
Shohalay
Shichalay
Shohalay